મિત્રો ખેડૂતો મોટે ભાગે ઘણું, જુવાર, બાજરી, ચોખા, શેરડી કે પછી શાકભાજી જ વાવે છે. મોટાભાગના ખેડૂતો એની ખેતી કરવાનું જ પસંદ કરે છે. પણ આજે અમે તમને બીજી એક એવી વસ્તુની ખેતી વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જે લાખોનો નફો કરાવે છે. તો આવો વિસ્તારથી જાણીએ.
સામાન્ય રીતે તુલસીને ધાર્મિક આસ્થા સાથે જોડવામાં આવે છે , પરંતુ મેડિસિનલ ગુણ ધરાવતી તુલસીની ખેતીથી કમાણી કરી શકાય છે . તુલસીના અનેક પ્રકાર હોય છે , જેનાથી યુજીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે . આ તત્વોમાંથી કેન્સર જેવા રોગોની દવાઓ બનાવવામાં આવે છે . જો ખેતર હોય તો 1 હેક્ટર જમીન પર તુલસી ઉગાડવામાં માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે પરંતુ , 3 મહિના બાદ આ પાક લગભગ 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે . તુલસીની ખેતી પતંજલિ , ડાબર , વૈદ્યયનાથ સહિત આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ કોન્ટ્રેંક્ટ ફાર્મિંગ પર કરાવી રહી છે . જે પાકને સીધો જ ખરીદે લે છે .
મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો.
મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો.
ક્યારે કરવી જોઇએ ખેતી
– જુલાઇનો મહિનો તુલસીના પાક માટે સૌથી ઉત્તમ સમય હોય છે.
– તુલસીના બીજને 45×45 સે.મીના અંતરમાં પર વાવવા જોઇએ.
– અને RRLOC 12 અને RRLOC 14 (એક પ્રકાની જાત)પાકને 50×50 સે.મીના અંતરે વાવવા જોઇએ.
– પાક લગાવ્યાના તરત બાદ સાધારણ સિંચાઇ કરવાની શરૂ કરી દેવી જરૂરી છે.
– એક્ટપેર્ટ્સ અનુસાર, ખેતીથી 10 દિવસ પહેલા સિંચાઇ કરવાનું બંધ કરી દેવું જોઇએ.
છાણનું ખાતર નાખવું ફાયદાકારક
– 200થી 250 ક્વિંટલ છાણ અથવા કમ્પોસ્ટને ખેડતી વખતે બરાબર માત્રામાં નાખવું જોઇએ.
– ત્યારબાદ જ ખેતરને ખેડવાનું શરૂ કરવું, આ ઉપાયથી ખાતર સંપૂર્ણ રીતે માટીમાં મિક્ષ થઇ જાય છે.
– ખેતરને અંતિમવાર ખેડતી વખતે 100 કિલોગ્રામ યૂરિયા, 500 કિલોગ્રામ સુપર ફાસ્ફેટ અને 125 કિલો મ્યૂરેટ ઓફ પોટાશને એક હેસ્ટરના હિસાબથી જમીનમાં મેળવો.
ક્યારે કરવી જોઇએ ખેતી
– જુલાઇનો મહિનો તુલસીના પાક માટે સૌથી ઉત્તમ સમય હોય છે.
– તુલસીના બીજને 45×45 સે.મીના અંતરમાં પર વાવવા જોઇએ.
– અને RRLOC 12 અને RRLOC 14 (એક પ્રકાની જાત)પાકને 50×50 સે.મીના અંતરે વાવવા જોઇએ.
– પાક લગાવ્યાના તરત બાદ સાધારણ સિંચાઇ કરવાની શરૂ કરી દેવી જરૂરી છે.
– એક્ટપેર્ટ્સ અનુસાર, ખેતીથી 10 દિવસ પહેલા સિંચાઇ કરવાનું બંધ કરી દેવું જોઇએ.
છાણનું ખાતર નાખવું ફાયદાકારક
– 200થી 250 ક્વિંટલ છાણ અથવા કમ્પોસ્ટને ખેડતી વખતે બરાબર માત્રામાં નાખવું જોઇએ.
– ત્યારબાદ જ ખેતરને ખેડવાનું શરૂ કરવું, આ ઉપાયથી ખાતર સંપૂર્ણ રીતે માટીમાં મિક્ષ થઇ જાય છે.
– ખેતરને અંતિમવાર ખેડતી વખતે 100 કિલોગ્રામ યૂરિયા, 500 કિલોગ્રામ સુપર ફાસ્ફેટ અને 125 કિલો મ્યૂરેટ ઓફ પોટાશને એક હેસ્ટરના હિસાબથી જમીનમાં મેળવો.
ક્યારે થાય છે કાપણી
– જ્યારે પાકના પાન લીલા રંગના થઇ જાય છે, ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. યોગ્ય સમયે કાપણી કરવી જરૂરી હોય છે, આમ ના કરવા પર તેલની માત્રાની પાક પર ખરાબ અસર પડે છે.
– પાક પર ફૂલ આવાના કારણે પણ તેલની માત્રા ઓછી થઇ જાય છે, એટલા જ માટે જ્યારે પાક પર ફૂલ આવી જાય, ત્યારે તેની કાપણી કરવાનું શરૂ કરી દેવું જોઇએ.
– ઝડપથી નવી શાખાઓ આવી જાય, તે માટે કાપણી 15થી 20 મીટર ઉંચાઇથી કરવી.
કેટલો આવે છે ખર્ચ
– 1 વીઘા જમીન પર ખેતી કરવા માટે 1 કિલો બીજની જરૂર પડે છે. 10 વીઘામાં 10 કિલો બીજની જરૂર પડે છે. જેની કિંમત 3 હજાર રૂપિયાની આસપાસ પડશે.
– સિંચાઇ માટેની ચોક્ક્સ ગોઠવણી કરવાની જરૂર પડે છે.
– એક સીઝનમાં 8 ક્વિંટલ સુધી ઉપજ થાય છે. માર્કેટમાં તેની કિંમત અઢીથી 3 લાખ રૂપિયા સુધી હોય છે.
– બજારમાં 30થી 40 હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલના ભાવ સુધી તુલસીના બીજ વેચાય છે,
કેવી રીતે વેચી શકો છો માલ
– તમે બજાર એજન્ટો દ્વારા પણ તમારો સામાન વેચી શકો છો.
– પોતે જ બજારમાં જઇને ખરીદદારોનો કોન્ટેક્ટ કરી શકો છો.
– કોંટ્રેક્ટ ફાર્મિંગ કરનારી દવાની કંપનીઓ અથવા એજન્સીઓ દ્વારા ખેતી કરી તેમને જ માલ વેચી શકો છો.
જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra
૧૦ વીઘા જમીન માં કેટલા મણ એરંડા ની ઊપજ કરી શકાય?